Vadtaldham Books

Vadtaldham Books

Ish InfoServices

Available on Google Play
5.0(228)
10,000+ installsFreeBooks & Reference

Updated Jul 15, 2026 · v3.5

CompareView on Google Play
Screenshot 1
Screenshot 2
Screenshot 3
Screenshot 4
Screenshot 5
Screenshot 6
Screenshot 7

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક

।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો, स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि । श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः।। (શિક્ષા. ૯૬) સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જણાતા વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની વાત છે, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક, રાત્રી વાંચન માટે ડાર્ક મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે discussion forum વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો. granthgulal@gmail.com Shree Swaminarayan Mandir VADTALDHAM BOOKS To describe the lifetime of Swaminarayan Bhagwan, a realized saint Satananad Swami gave a mantra “satshastray nmah ("ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः")” – that is, the one who is addicted to scriptures. Reading, listing and discussing scriptures had been a daily routine for Swaminarayan Bhagavan. Swaminarayan Bhagawan’s life is an inspiration for all of us to keep the constant company of scriptures. Regular study of scriptures and company of enlightened souls brings one out of darkness and ignorance, delivers eternal peace and pleasure. Scriptures are our true friends, they are the vital force for our spiritual journey. Recognizing the advent of digital media and its usefulness to masses, Shri Swaminarayan Mandir Vadtal Sansthan with the blessing of Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj initiated Scriptures Digitization Project. As part of this project, the Vadtal Sansthan is introducing a mobile app “Vadtaldham Book” to bring you instant access to the scriptures anytime anywhere. The app has many convenient and useful features, like, ability to search words in the scriptures, ability to ask questions in the discussion forum, features to facilitate easy night reading, bookmark, etc. Vadtal Sansthan is humbly trying to serve you in your spiritual quest. We welcome your comments, suggestions – granthgulal@gmail.com

Released
August 10, 2019

6 years on Google Play

Version
3.5
Updated
Jul 15, 2026
Content Rating
Everyone
Installs
10,000+
Developer
Ish InfoServices
Website
https://ishinfoservices.com
Email
harikrishnapancholi@gmail.com
In-app purchases
No

This app isn't currently appearing in any tracked top charts.

Rating breakdown

5
228
4
0
3
0
2
0
1
0